Episode - 6 મારી નજરે અમદાવાદ.... અમૃતવર્ષીની વાવ
અમદાવાદના સારંગપુર ની નજીક આવેલા પાંચકુવા વિસ્તારની આ વાત છે.
જે તે સમયે એ વિસ્તારમાં આવેલા પાંચ કુવા ને લીધે જાણીતી થયેલી આ જગ્યા.
આજે
કાપડ બજારથી ધમધમતા અને વાહનોના ટ્રાફિક માં ખોવાઈ ગયેલી જમીનની અંદર પાણી નો
અમૃતકુંભ લઈને ઉભેલી એક વાવ.
એ વાવ એટલે "અમૃતવર્ષીની વાવ."
![]() |
| Amritavarshini Stepwell, Panchkuva, Ahemdabad |
આ વાવ પાંચ કુવા વિસ્તારમાં આવેલી
હોવાથી તે પાંચ કૂવા વાવ તરીકે પણ જાણીતી છે.
જમીનની નીચે ત્રણ માળમાં આવેલી આ વાવ
50 ફૂટ ઉંડી છે.
અમૃતવર્ષીની વાવ નું બાંધકામ ગુજરાતના
મુગલ સુબા હૈદર કુલીન ખાનના દિવાન રઘુનાથદાસ દ્વારા કરવામાં આવ્યું હતું.
ઈ.સ. ૧૭૨૩ માં આ વાવને લોકો માટે
ખુલ્લી મૂકવામાં આવી હતી.
ગુજરાતની આ એકમાત્ર વાવ છે કે જેનું
બાંધકામ "L" આકાર માં થયેલું છે જેને કારણે આ વાવને "કાટખૂણી વાવ" તરીકે પણ
ઓળખવામાં આવે છે.
![]() |
| કાટખૂણી વાવ ("L" આકાર) |
આ વાવ ઓછી કોતરણી અને સરળ બાંધકામ
ધરાવે છે.
કમાનો વાળી આ વાવ હિન્દુ-મુસ્લિમ
સ્થાપત્યની મિશ્ર શૈલી નો નમુનો છે.
૧૯૬૯માં ગુજરાત સરકાર દ્વારા આ વાવને
રાજ્ય સંરક્ષિત સ્મારક ઘોષિત કરવામાં આવી હતી અને ૧૯૯૯ માં આરક્ષિત કરવામાં આવી
છે.
૨૦૦૪ માં આ વાવના કુવાનું ખોદકામ કરીને ફરીથી પાણીવંતી કરવામાં આવી છે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો